AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુંભ મેળો

કુંભ મેળો

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કુંભ મેળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે અને વ્યક્તિના પુનર્જન્મનું ચક્ર સમાપ્ત થઈ શકે છે.

કુંભ મેળાની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતના ઘડામાંથી ચાર જગ્યાએ, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના થોડા ટીપા પડ્યા. આ જ કારણે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકને પવિત્ર માનવામાં આવે છે અને અહીં મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ વિવિધ સંસ્કૃતિ, ભાષા અને સમાજના લોકોને એકસાથે લાવે છે. કુંભ મેળામાં દેશભરમાંથી સંતો, મહાત્માઓ, સાધુ અને સંન્યાસીઓ ભાગ લે છે. આમાં અખાડાઓનું વિશેષ મહત્વ હોય છે, જ્યાં લોકો સંતોના આશીર્વાદ અને તેમના ઉપદેશોનો લાભ લે છે.

કુંભ મેળો માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લાખો વિદેશી પ્રવાસીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું મહત્વ સમજે છે. કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે સામાજિક એકતા, પૌરાણિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે.

Read More

Breaking News: ‘મહાકુંભ વાયરલ ગર્લ’ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે ‘ઉંમરની તપાસ’

'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એક્શનમાં આવ્યું છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે શંકા જતાં ખરગોન એસપીને તપાસના આદેશ આપ્યા છે, જેના કારણે હવે મોનાલિસાએ પોતાની ઉંમરના સાચા પુરાવા રજૂ કરવા પડશે.

નાસિકમાં કુંભમેળા સ્થળેથી હટાવાશે 1800 જેટલા વૃક્ષો, આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય ?

નાસિકમાં 2027ના કુંભમેળાની તૈયારીઓ દરમિયાન તપોવનમાં 1800 વૃક્ષો કાપવાના પ્રસ્તાવથી મોટો વિવાદ સર્જાયો છે. આ 'ઓક્સિજન હબ'ના વૃક્ષોના નિકંદન સામે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. મામલો બોમ્બે હાઈકોર્ટ અને NGT સુધી પહોંચ્યો છે, જ્યાં વૃક્ષ કાપણી પર રોક લગાવાઈ છે. આ મુદ્દે પર્યાવરણીય સંરક્ષણ સામે સવાલ ઉઠવાના શરૂ થયા છે. તો રાજ્ય સરકાર આ વિરોધને રાજનીતિથી પ્રેરિત ગણાવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય છે?

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">